75માં ગણતંત્ર દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે 'બીટીંગ રીટ્રીટ' સમારોહ આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે યોજાશે
Live TV
-
પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે ‘બીટિંગ રીટ્રીટ’ સમારોહ યોજાશે.ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મ્યુઝિકલ બેન્ડ દેશના પ્રતિષ્ઠિત પ્રેક્ષકો માટે 31 મંત્રમુગ્ધ અને ગ્રૂવી ભારતીય ધૂન વગાડશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય જનતા હાજર રહેશે. આ સમારોહની શરૂઆત સામૂહિત બેન્ડ દ્વારા 'શંખનાદ' ધૂન સાથે થશે. જે બાદ અનેક મનમોહક ધૂનો રજૂ કરાશે
દિલ્હી ટ્રાફિક પોલીસે બીટીંગ રીટ્રીટ સમારોહના સુચારુ સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે બપોરે 2 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી ટ્રાફિક પ્રતિબંધ રહેશે અને વિજય ચોક સામાન્ય ટ્રાફિક માટે બંધ રહેશે. તેમાં ઉમેર્યું હતું કે સુનેહરી મસ્જિદ રાઉન્ડઅબાઉટ અને કૃષિ ભવન વચ્ચે રફી માર્ગ પર, રાયસીના રોડ પર કૃષિ ભવન રાઉન્ડઅબાઉટથી વિજય ચોક તરફ અને કર્તવ્ય પથ વિજય ચોક અને સી હેક્સાગોન વચ્ચે ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં. લોકોને તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવા અને અસુવિધા ટાળવા માટે પૂરતો સમય રાખવા વિનંતી કરવામાં આવી છે.