PM મોદી ચક્રવાત ‘યાસ’ની અસર અંગેની સમીક્ષા માટે ઓડિશા પહોંચ્યા, કરશે હવાઈ નિરીક્ષણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યાસ વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા છે. વાવાઝોડાની અસર અને બાદની કામગીરી અંગેનો અંદાજ મેળવવા માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં તેઓ પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યોમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે. ઉલ્લેખનીય છે કે યાસ વાવાઝોડું 26 મી મે ના રોજ ઓડિશાના ધમરા બંદર પાસે ત્રાટક્યું હતું. 130 થી 150 કિમીની ઝડપે પવન સાથે બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. બાદમાં વાવાઝોડું ઝારખંડ પહોંચ્યું હતું.
