અમરેલીના ખેડૂત હરેશભાઈએ જાંબુનું કર્યુ વાવેતર, જાણો કેવી રીતે મેળવે છે ઉપજ
Live TV
-
જાંબુના પ્રતિ કિલો 50 થી 70 રૂપિયા જેવા સારા ભાવ મળી રહ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દિતલા ગામના ખેડૂત હરેશભાઇ વાળા 20 વર્ષથી 3 વિઘામાં શેઠે પાળે જાંબુના ઝાડનું વાવેતર કરે છે અને છેલ્લાં 15 વર્ષથી જાંબુનું ઉત્પાદન લઇને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દિતલા ગામના ખેડૂત ઝાલા નર્સરીમાંજો કે આ વર્ષ કમોસમી માવઠા અને વાવાઝોડાને કારણે જાંબુડાનો પાક ખરી ગયો છે અને ફાલ પણ ઓછો થયો છે. તેમ છતાં જાંબુના પ્રતિ કિલો 50 થી 70 રૂપિયા જેવા સારા ભાવ મળી રહ્યા છે અને તેમની નર્સરીમાં જ આ જાંબુ વેચાઈ જાય છે અને વધુ પાક થયો હોય તો અમરેલી ,રાજકોટ યાર્ડમાં મોકલવામાં આવી રહ્યો છે. ખેડૂત જાંબુડાનું ઉત્પાદન મેળવી રહ્યા છે સારી આવક થાય છે એ પણ જે 50 હજારથી 1 લાખ સુધી મળે છે
