આજે દેવ ઉઠી અગિયારસ, યાત્રાધામ શામળાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
Live TV
-
આજે દેવ ઉઠી અગિયારસના રોજ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આજે સાંજે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાની તેરસથી, શરૂઆત થવાની છે. ત્રણ દિવસના મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે, તેવી સંભાવના છે જેને લઈને યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ આયોજન કરાયું છે.
