ઊંઝા ખાતે આયોજિત લક્ષચંડી યજ્ઞ માટે અરવલ્લી જિલ્લા પાટિદારોની બેઠક યોજાઈ
Live TV
-
જિલ્લાના મોડાસા, બાયડ અને ગાબટ ઉમિયા પરિવારના પ્રમુખો તેમજ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા ખાતે આયોજિત યજ્ઞમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય તે માટે આહવહન કરવામાં આવ્યું હતું.
આગામી ડિસેમ્બરમાં ઊંઝા ખાતે આયોજિત લક્ષચંડી યજ્ઞ માટે અરવલ્લી જિલ્લા પાટિદારોની બેઠક યોજાઈ હતી. અરવલ્લી જિલ્લાના પાટિદાર સમાજના લોકો આ યજ્ઞનો લ્હાવો લે તે હેતુથી એક સંમેલનનું આયોજન મોડાસાના સાકરિયા નજીક કરાયું હતું. જેમાં જિલ્લાના મોડાસા, બાયડ અને ગાબટ ઉમિયા પરિવારના પ્રમુખો તેમજ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા ખાતે આયોજિત યજ્ઞમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય તે માટે આહવહન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ પ્રકારના યજ્ઞનું પ્રથમવાર આયોજન કરવવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે તે માટે ખાસ બેઠક ઊંઝા મંદિરના હોદ્દેદારોની અધ્યક્ષતામાં ચર્ચા વિચારણા કરાઈ હતી.
