કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ૬૮-મા જન્મદિનપ્રસંગે 'શબ્દજયોતિ' કાર્યક્રમનું આયોજન
Live TV
-
અમેરિકા સ્થિત કવિ ભરત ત્રિવેદીના સહયોગથી તા.૭ જૂન બુધવારે સાંજે ૦૫-૩૦ કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કવયિત્રી, વાર્તાકાર, સંશોધક, વિવેચક ઉષા ઉપાધ્યાયના ૬૮-મા જન્મદિનપ્રસંગે 'શબ્દજયોતિ' શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 'શબ્દજયોતિ'માં પ્રો.ડૉ. ઉષા ઉપાધ્યાયે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
ઉષા ઉપાધ્યાયનું જીવન એમના શબ્દોમાં
મારું બાળપણ બીલીમોરા એટલે દક્ષિણ ગુજરાતના સરળ લોકો વચ્ચે વીત્યું. મમ્મી પુસ્તકપ્રેમી હોવાથી સાહિત્ય તરફનો ઝોક વધ્યો કારણકે હું ચોથા ધોરણમાં હતી ત્યારે મારી મમ્મીએ મેટ્રીકની પરીક્ષા પાસ કરી. મારા પિતા ૧૯૪૨માં આઝાદીની લડતમાં જોડાયા હતા એટલે રાષ્ટ્રીયતા મારા લોહીમાં, કદાચ એટલે જ વિદ્યાપીઠમાં ૨૨ વર્ષ સેવા આપવાની તક મળી.
કુદરત સાથે જીવતા લોકોને ચાર ભીંતો વચ્ચે જીવતાં લોકો કરતાં વધુ નીડર હોય. હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે સાંજે એકલી રેલ્વે સ્ટેશને ઝગમગ જેવા મેગેઝિન લેવા જતી. ગીતોનો લય મારા નાનીના સંસ્કારોમાંથી મેળવ્યો. આઠમા ધોરણમાં ભાવનગરમાં પિતાની બદલી થતાં સામંતશાહીનો નવો અનુભવ થયો. નવા વાતાવરણમાં સ્ત્રી તરીકેના અમુક પ્રતિબંધો દેખ્યા. ઉપરાંત સાહિત્યનું વાતાવરણ પણ ત્યાં જ મળ્યું. હું એમ કહું કે પ્રકૃતિ અને પુસ્તકો મારા શબ્દનું કુળ અને કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોર મારા લેખનના પાયામાં. મને ગઝલ વિશેની પાયાની સમજ એકવાર અચાનક જ બસની બે કલાકની મુસાફરીમાં ચિનુ મોદીએ આપ્યું. સિલાઈ શીખી તો ખરી પણ અમારા ચાર ભાઈ બહેનના કપડાં પણ સિવતી હતી. એમ ભરતકામ પણ બધું જ આવડે. પહેલો કાવ્યસંગ્રહ 'જળ બિલ્લોરી ' કવિલોક દ્વારા પ્રકાશિત થયો.