ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઈઝર માર્કેટમાં ઉપલબ્ધ થશે
Live TV
-
નેનો ફર્ટિલાઈઝરથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટી જશે
ખેડૂતને ખેતી માટે પાણી અને ખાતરની જરૂર હોય છે. આ બે વસ્તુ મળે તો ખેડૂતો પોતાનું ઉત્પાદન કરી શકે છે. ગત વર્ષની માફક આ વખતે પણ સમગ્ર દેશમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવી દીધો છે. આ સિવાય યુરિયા, બીઓપી, એમઓપીથી જમીનને નુક્સાન થઇ રહ્યું છે, ત્યારે બાયો ફર્ટીલાઇઝરનો ઉપયોગ થાય એટલે કે નેનો ફર્ટિલાઇઝરનો. નેનો ફર્ટિલાઇઝર એટલે કે 100 બેગ યુરિયાનો ઉયોગ કરો, તેની સરખામણીએ 100 એમએલ લિક્વીડ ખાતરનો ઉપયોગ કરવાથી જે પાકને ન્યુટ્રીએટ મળે તેટલું ન્યુટ્રીએટ મળે છે. આ અંગેનું ટેસ્ટ ગાંધીનગરના કલોલ ખાતે ઇફ્ફ્કોના રિસર્ચ સેન્ટરમાં પરિક્ષણ થઇ રહ્યું છે. ટૂંક સમયમાં નેનો ફર્ટિલાઇઝરને માર્કેટમાં મુકવામાં આવશે. જેથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટી જશે.
