દ્વારકા જગત મંદિરે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સુવર્ણનું ચામર અર્પણ કરાયું
Live TV
-
દ્વારકા જગત મંદિરે આજે જન્માષ્ટમી ના તહેવાર પૂર્વે ભગવાન રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સુવર્ણનું ચામર અર્પણ કરાયું છે. આ ચામરમાં ઉપયોગ લીધેલા વાળ એ અતિ દુર્લભ હિમાલયમાં વસતી એવી ચમરી ગાયના પવિત્ર વાળ છે. આ અગાઉ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રાજાધિરાજ દ્વારિકાધીશ ને અષ્ટગંધ અને ઘંટી પણ અર્પણ કરી હતી. અમદાવાદના સેવાભાવી જય અંબે ગ્રુપ ના મિત્રો દ્વારા આ પવિત્ર કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.
