ભાવનગરમાં કોળી કર્મચારી સંગઠન દ્વારા વિદ્યાથી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
Live TV
-
આ કાર્યક્રમમાં કોળી સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ યોગ્ય કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઊપસ્થિત રહ્યા હતા.
ભાવનગર જિલ્લામાં કોળી કર્મચારી સંગઠન દ્વારા આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોળી સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ યોગ્ય કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા પાણીની તંગી સર્જાઈ છે અને ખેડૂતોની સાથે સાથે સરકાર પણ ખુબ જ ચિંતિત છે. તેમણે વધુમાં ઊમેર્યુ કે નર્મદા નિગમ દ્વારા કેનાલ મારફતે સિંચાઈનું પાણી મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે થોડા દિવસો માં જે તે વિસ્તારમાં પહોંચશે અને લોકોની પાણીની સમસ્યા હળવી બનશે.
