મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૈલાશ માન સરોવર પ્રવાસ સહાયની રકમમાં કર્યો વધારો
Live TV
-
યાત્રાએ જતા ગુજરાતના મુસાફરોને હવે 50,000 રૂપિયા આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૈલાશ માન સરોવર પ્રવાસ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રવાસીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનો રકમ વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા આ પેસેન્જર ફ્રેન્ડલી નિર્ણય મુજબ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના મુસાફરોને ભૂતકાળમાં પ્રતિ પેસેન્જર આપવામાં આવતા હતા. 23 હજારની પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દરેક મુસાફરને 50,000 રૂપિયાની પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૈલાશ માન સરોવર યાત્રા પર જઈ રહેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ બાબતે શ્રદ્ધાળુઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.