મોરબીઃ સજ્જનપર ગામે ઓશો ધ્યાન શિબિરનું આયોજન
Live TV
-
મોરબીના સજ્જનપર ગામ પાસે આવેલ ઓશો ફાર્મ ખાતે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરમાં માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ઓશો વિચારધારાને અનુસરતા અને માનતા લોકો જોડાયા હતા.
ઓશો ધ્યાન શિબિરમાં માર્ગદર્શન આપવા માટે ડો. માધવી રેણું પંચાલ ચંડીગઢથી ખાસ પધાર્યા હતા અને ધ્યાન શિબિરમાં માર્ગદર્શન આપીને શાંતિ અને સુખનો માર્ગ બતાવ્યો હતો ૩ દિવસની ધ્યાન શિબિર અંગે માર્ગદર્શક ડો. માધવીએ જણાવ્યું હતું કે ઓશોએ વૈચારિક ક્રાંતિ કરી છે જેમાં અનેક લોકો જોડાયા છે તેમજ મોરબીમાં યોજાયેલ શિબિરમાં ગુજરાતના અલગ અલગ પ્રદેશમાંથી ઓશોની વિચારધારાને અનુસરતા લોકો શિબિરનો લાભ લેવા માટે આવ્યા હતા.
આ શિબિરમાં ધ્યાન, નિરાશા મુક્તિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા શિબિરનો લાભ લેનાર ખાસ વાતચીતમાં જણાવે છે કે ધ્યાન શિબિરમાં આવીને તેઓ શાંતિ મહેસુસ કરી રહ્યા છે અને એક દીવ્સ્ય અહેસાસની અનુભૂતિ તેઓ અનુભવી રહ્યા છે જે શબ્દોમાં વર્ણવી સકાય તેમ નથી.
