રાજકોટ અને મોરબીના 12 જંક્શનો પર ફ્રી વાઈફાઈનો પ્રારંભ
Live TV
-
પડધરીચણોલ અને હડમતીયા સ્ટેશન ખાતે દિવ્યાંગો માટે નવા શૌચાલયનું લોકાર્પણ કરાયું હતું
રાજકોટમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે લોક સુવિધાઓ માટેના વિવિધ કાર્યોનું ભૂમિપુજન તેમજ લોકાર્પણ કરાયું હતું. જેમાં ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે આરક્ષણ કાર્યાલયના નવા ભવનનું ભૂમિ પૂજન તેમજ પડધરીચણોલ અને હડમતીયા સ્ટેશન ખાતે દિવ્યાંગો માટે નવા શૌચાલયનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાજકોટ અને મોરબી જિલ્લામાં આવેલ વિવિધ 12 જેટલા જંકશનો પર ફ્રી વાઇફાઇ સેવાનો પણ સાંસદ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ તકે રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી લાખાભાઈ સાગઠિયા તેમજ રેલ પ્રબંધક પરમેશ્વર ફૂંકવાલ સહિતના રેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
