સોમનાથ મહાદેવને શ્રાવણના ત્રીજા સોમવારે ખાસ ચંદન શૃંગાર
Live TV
-
સોમનાથ મહાદેવને શ્રાવણના ત્રીજા સોમવારે ખાસ ચંદન શૃંગાર
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ શૃંગાર દ્વારા મહાદેવને ચંદનની શીતળતા અર્પણ કરવામાં આવી હતી. આ વિશેષ શૃંગાર પાછળનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ અને કલ્યાણનો ભાવ રહ્યો હતો.
આ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ચંદન ઉપરાંત ગુલાબ, ગલગોટા, મોગરા સહિતના વિવિધ પુષ્પો અને ફૂલહારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભક્તોએ મહાદેવના આ મનોહર સ્વરૂપના દર્શન કરી પૂજન-અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રાવણના આ ખાસ દિવસે, મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા-વિધિનો લાભ લીધો હતો. આ દિવસે 45 ધ્વજાપૂજન, 62 સોમેશ્વર મહાપૂજન અને 715 રુદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. આ પૂજા-પાઠમાં ભાગ લઈને ભક્તોએ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
