Submitted by ddnews on
1.ચંદ્રયાન-2ને લઈ ઇસરોને વધુ એક મોટી સફળતા. - "ચંદ્રયાન-2ના" લેન્ડર વિક્રમથીઓર્બિટર થયું અલગ. - 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડ. 2. નર્મદા ડેમની જળસપાટી ,ફરી ઐતિહાસિક સ્તરે. ડેમનું જળસ્તર 135ને પાર પહોંચતા ,નર્મદા નદી ચઢી "હિલોળે". નર્મદા નદીમાં ,સતત છોડવામાં આવી રહ્યું છે, 1 લાખ 88 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી. 3. સતત પાણી માટે ઝુરતા રહેતાં સૌરાષ્ટ્ર પર, મેઘ રાજા મહેરબાન. ચારેકોર વરસાદથી મોટાભાગના ડેમ છલકાયાં. રાજકોટનો આજી-1 ડેમ ઓવરફ્લો. નીચાણવાળા ગામોને કરાયાં એલર્ટ.જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને ચેતવણી. 4. આદિજાતી વિસ્તારના નાના ખેડૂતોના હિતમાં ,મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહ્ત્વપૂર્ણ નિર્ણય. ચાર એકર ક્ષેત્રફળ ધરાવતાં સર્વે નંબરોમાં પણ ,બીજુ કૃષિવિષયક વીજ જોડાણ અપાશે. 5. ભારત તરફથી ડેપ્યુટી હાઇકમિશ્નર ગૌરવ અહલુવાલિયાએ કરી ,કૂલભૂષણ જાધવ સાથે મુલાકાત.હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે ,પાકિસ્તાનને વિના વિલંબે ,કૂલભૂષણ જાદવને કોન્સ્યુલર એક્સેસ આપવા ,કર્યો હતો આદેશ. 6. રણને આગળ વધતું અટકાવવાના પ્રયાસ સાથે જોડાયેલા ,સંયુક્ત રાષ્ટ્રConference of Parties એટલેકે ,કોપ-14 સંમેલનની, આજથી શરૂઆત. ભારત કરી રહ્યુ છે ,સંમેલનની યજમાની. બેઠકમાં 196 દેશોના પ્રતિનિધિઓ લઇ રહ્યાં છે ,ભાગ. 7. સંપૂર્ણ ઉત્સાહ, આનંદ અને શ્રધ્ધા સાથે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દેશવાસીઓને શુભેચ્છા.તો રાજ્યમાં પણ ,અનેક સ્થળે ગણપતિની કરાઈ સ્થાપના