પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચનો આવતીકાલથી ચેન્નાઈમાં થશે આરંભ
Live TV
-
પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચનો આવતીકાલથી ચેન્નાઈમાં આરંભ થશે. કોવિડનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિનાં લીધે પહેલી ટેસ્ટ માટેની ટિકિટો તમિલનાડુ ક્રિકેટ સંગઠનનાં સભ્યો માટે જ મર્યાદિત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે ચેન્નાઈમાં રમાનારી બે ટેસ્ટમેચ માટે મેદાનની કુલ ક્ષમતામાંથી માત્ર 50 ટકા દર્શકોને જ હાજર રહેવાની મંજુરી આપી છે. તમિલનાડુ ક્રિકેટ સંગઠનના સચિવ આર.એસ.રામાસામીએ જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈપણ દર્શકને મંજુરી અપાશે નહીં.
