ફૂટબોલ ખેલાડી ચુન્ની ગોસ્વામીનું અવસાન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યુ દુઃખ
Live TV
-
પ્રખ્યાત ફૂટબોલર અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ચુન્ની ગોસ્વામીનું નિધન થયું. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું હતું.
પ્રખ્યાત ફૂટબોલર અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ચુન્ની ગોસ્વામીનું નિધન થયું. હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે..ગુરુવારે સાંજે પાંચ વાગ્યે, 82 વર્ષીય ખેલાડીએ કોલકાતાની એક હોસ્પિટલમાં વિશ્વને અલવિદા કહ્યું. તેમણે વર્ષ 1962 માં એશિયન ગેમ્સમાં ભારતીય ફૂટબોલ ટીમની કમાન સંભાળી હતી અને તે સમયે ભારતનું ગોલ્ડ મેડલ ખાતામાં આવી ગયું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ભૂતપૂર્વ ખેલાડીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે "ચુન્ની ગોસ્વામીના મોતના સમાચાર દુઃખદ છે. ભારતીય ફૂટબોલ પ્રેમીઓ એક સ્ટાર ગુમાવી ચૂક્યા છે. તેઓ બહુમુખી પ્રતિભા અને ચમકતા સ્ટાર છે." હું શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.
