ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને અપાશે: CM રૂપાણી |Mid Day News| 15-08-2021
Live TV
ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને અપાશે: CM રૂપાણી |Mid Day News| 15-08-2021
15-08-2021 | 1:19 pm
1--- દેશમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉમળકાભેર ઉજવણી... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આન બાન શાન સમા તિરંગાને , લાલ કિલ્લાની પ્રાચિર પરથી ફરકાવીને આપી સલામી..પ્રથમ વાર એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા કરવામાં આવી પુષ્પવર્ષા .. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સમાધી સ્થળ રાજઘાટ પર અર્પી પુષ્પાંજલિ....
2-- લાલ કિલ્લાની પ્રાચિર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી , દેશની જનતાને કર્યું સંબોધન...કહ્યું, 21મી સદીના ભારતના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવાથી કોઈ નહીં રોકી શકે... દેશની એકતાને ગણાવી સૌથી મોટી તાકાત.... તો, કોરોના કાળમાં દેશના ઉત્તમ પ્રયાસને કર્યા યાદ..
3--- આઝાદી પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક મહત્વપૂર્ણ જાહેરાત.. દેશમાં Infrastructure અને અર્થતંત્રને વેગ આપવા માટે , રૂપિયા 100 લાખ કરોડનો ગતિશક્તિ- National Master Plan દેશ સમક્ષ મુકાશે.. તો National Hydrogen Mission, દીકરીઓ માટે સૈનિક શાળા , અને 75 વંદેભારત ટ્રેન શરૂ કરવાની પણ કરી જાહેરાત..
4----- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટના રોજ દેશના ભાગલા દરમ્યાન, વિસ્થાપિત અને જીવ ગુમાવનારા લોકોના સંઘર્ષ અને બલીદાનની યાદમાં "વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ" મનાવવાનો કર્યો નિર્ણય.. કહ્યું., દેશના વિભાજનના દર્દને , ક્યારેય ભૂલી ના શકાય ... નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ , વિસ્થાપનની સાથે ગુમાવવો પડ્યો હતો પોતાનો જીવ...
5--- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદ વીરોને આપી પુષ્પાંજલિ.... રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત , Chief of Defense Staff બિપીન રાવત , અને સેનાની ત્રણેય પાંખના વડાઓએ પણ વીર શહીદોને કર્યા નમન... રાષ્ટ્રપતિએ પોતાના અનુભવની પણ પુસ્તિકામાં કરી નોંધ..
6--- રાજ્યભરમાં ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી... રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં ધ્વજવંદન કરી લોકજનતાને આપી શુભેચ્છા ... તો મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જૂનાગઢમાં કરી ઉજવણી.. રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું, સાડા 6 કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ થકી , ગુજરાત બન્યું દેશના વિકાસનું Role Model...
7--- આઝાદી પર્વના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે રાજ્ય સરકારે લોન્ચ કરી, "વતન પ્રેમ યોજના "... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, લોકો પોતાને ફાવે ત્યાં વતન પસંદ કરીને ,, કરી શકશે વેપાર-રોજગાર... રાજ્ય સરકાર આપશે 40% રકમ, જ્યારે 60% રકમનું લોકોએ કરવાનું રહેશે રોકાણ... તો, ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં , ગરીબોને 5 લાખ ગેસ કનેક્શન આપવાની પણ કરી જાહેરાત..
8--- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલના ગોધરામાં કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી... કહ્યું, રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ કાયદાઓ લાવી રાજ્યને સુરક્ષા-સલામતી-શાંતિ તરફ કર્યુ અગ્રેસર... તો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ભરૂચમાં, જ્યારે મંત્રી જયદ્રથસિંહ પરમારે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદી પર્વ મનાવ્યો... અન્ય મંત્રીઓએ પણ વિવિધ જિલ્લાઓમાં આઝાદી પર્વની ઉજવણીમાં લીધો ભાગ....
9---- રસીકરણ અભિયાન અંતર્ગત દેશે બનાવ્યો નવો કિર્તીમાન... અત્યાર સુધીમાં 53 કરોડ 61 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન... તો છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 36,083 નવા કેસ... જયારે રાજ્યમાં 25 નવા કેસ સામે 18 દર્દીઓ થયા સ્વસ્થ..