900 beds added to covid centres in various talukas of #Ahmedabad| Morning News| 16-4-2021
Live TV
900 beds added to covid centres in various talukas of #Ahmedabad| Morning News| 16-4-2021
16-04-2021 | 8:10 am


1...દેશમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય... 100 જેટલી હોસ્પિટલોમાં પીએમ કેયર્સ અંતર્ગત શરૂ કરાશે ઓક્સિજન પ્લાન્ટ.... 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજનની આયાત માટે પ્રક્રિયા હાથ ઘરાઇ... સૌથી વધુ કોરોના પ્રભાવિત 12 રાજ્યો માટે ઓક્સિજન સ્ત્રોતોનું કરાયું મેપિંગ....
2...કોવિડ મહામારીને અટકાવતી વિદેશી વેક્સિનને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા દિશા-નિર્દેશ.... રસી નિર્માતા કંપનીની અરજી મળ્યાના 3 દિવસમાં DCGI કરશે નિર્ણય....
3...કોરોના મહામારી વિરૂદ્ધ પાબંધીઓ થઇ સખ્ત.... દિલ્હીમાં આજથી લાગૂ થશે વિકેન્ડ કર્ફ્યૂ.... જરૂરી સેવાઓ જ રહેશે ચાલુ... ઉત્તર પ્રદેશમાં 2000થી વધુ કેસ ધરાવતા 10 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા નિર્દેશ.... કોરોનાના વધતા સંક્રમણને પગલે 18 એપ્રિલે યોજાનાર NEET PGની પરીક્ષાઓ હાલ પુરતી રખાઇ મોકૂફ...
4... પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલના ચૂસ્ત પાલનને લઈને આજે ચૂંટણી પંચની સર્વદળીય બેઠક.... જાહેર થઇ શકે છે નવા દિશા-નિર્દેશ.... પાંચમા તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ....
5...ગુરૂવારે રાજ્યમાં નોંધાયા સૌથી વધુ 8 હજાર, 152 કેસ સાથે 3 હજાર, 23 દર્દીઓ થયા સ્વસ્થ.... 81 દર્દીના થયાં મૃત્યુ... અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 2,672 કેસ સાથે , સ્થિતિ ચિંતાજનક ....સુરતમાં 1,882 કેસ...વડોદરામાં 486...તો મહેસાણામાં 249 કેસ....રાજ્યની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત નિવારવા માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ...
6...રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો જાહેર હીતની અરજી પર હાઈકોર્ટમાં થઈ સુનાવણી... ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન સરકારને પુછાયું અગાઉ સુચન છતાં , રાજ્યમાં કેવી રીતે વધ્યાં કોરોનાના કેસ... સાથે જ મુખ્ય ન્યાય મૂર્તિ વિક્રમનાથે , ગુજરાત સરકાર, તેમજ આરોગ્ય વિભાગની કામગીરીની કરી પ્રશંસા....
7...કોરોના મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા , વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય.... રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ હાલ પૂરતી રાખવામાં આવી મોકૂફ....ધોરણ 1થી 9 તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે માસ પ્રમોશન ... મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય...
8... વડોદરાના કોરોના સંક્રમિત નાગરિકો માટે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા શરૂ કરાઇ વન ઝોય ટેલી મેડીસીન એપ... શહેરના 25 જેટલા ડોક્ટરો એપ દ્વારા દર્દીઓને જરૂરીયાત મુજબની આપશે સારવાર...હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીની પરિસ્થિતિની પરિવારજનોને જાણકારી મળી રહે તે માટે કરાઇ વ્યવસ્થા....