Dr.S.Jaishankar addressed the Russia-India-China ministers' virtual meet | Samachar@4PM | 23-06-2020
23-06-2020 | 5:28 pm
Share Now
1. અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસરમાં જ યોજાઈ 143મી ઐતિહાસિક રથયાત્રા - મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણે રથોએ લગાવ્યાં સાત ચક્કર - લોકદર્શન માટે મુકાયા ભગવાનના રથ-
2. કોરોના સંક્રમણ ફેલાવાના ભય વચ્ચે ગુજરાત હાઈકોર્ટે ગઈ મોડીરાતે અમદાવાદમાં પરંપરાગત માર્ગો પર રથયાત્રા ન કાઢવા આપ્યો હતો ચુકાદો - સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી પહિંદ વિધી - વહેલી સવારે થઇ મંગળા આરતી - સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તજનો લઇ રહ્યાં છે દર્શનનો લાભ
3. આજે અષાઢી બીજ - કચ્છી માંડુઓનું નવું વર્ષ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં પાઠવી નવ વર્ષની શુભેચ્છા કહ્યું આવનારુ વર્ષ કચ્છના ખમીરવંતા લોકોને બરકત આપનારું નીવડે અને સચરાચર વરસાદ થાય તેવી શુભકામના
4. કોવિડ મહામારી વચ્ચે પ્રતિબંધો સાથે પુરીમાં આજે ભગવાન જગન્નાથની યાત્રાની ધૂમ - સુપ્રિમ કોર્ટે આપી શરતી મંજૂરી- ગણતરીના લોકો જ રથયાત્રામાં જોડાઈ શકશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા
5. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત - ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 563 કેસ નોંધાયા - જ્યારે 21ના મોત - અમદાવાદમાં 314 કેસ - આજે સુરતમાં નવા 54 કેસ નોંધાયા તો ભરૂચમાં લારી ચલાવનાર ફેરીયાનો રિપોર્ટ પોઝિટવ આવતાં તંત્ર થયું દોડતું
6. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને થયો 56.37 ટકા.દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 48 હજારથી વધુ લોકોએ આપી કોરોનાને માત - છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 13 હજાર 548 કેસ- એક લાખ 78 હજાર 14 સક્રિય કેસ જ્યારે કોરોનાના કારણે દેશમાં 14 હજારથી વધુ લોકોના થયા મોત. પી એમ કેર ફંડમાં જમા થયેલ બે હજાર કરોડ રૂપિયાથી ભારતમાં વેન્ટીલેટરનું કરાયુ નિર્માણ.
7. આજે લદ્દાખની મુલાકાતે સેના પ્રમુખ જનરલ નરવણે - ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ સાથે જોડાયેલા ગતિરોધ પર જમીની હકિકતનું સેના પ્રમુખ કરશે નિરિક્ષણ - લેહ ખાતે આર્મિ જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ ઘાયલ સૈનિકોના ખબર-અંતર પૂછ્યા
8. ત્રિદિવસીય પ્રવાસે રશિયા પહોંચેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહની આજે રશિયાના સંરક્ષણમંત્રી સાથે થશે દ્વિપક્ષીય બેઠક - બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારીમાં આવશે મજબુતી - રશિયા અને ચીન સાથે ભારતની આજે ત્રિપક્ષીય વર્ચ્યુઅલ બેઠક - વિદેશમંત્રી એસ.જયશંકર લેશે બેઠકમાં ભાગ