વિજય માલ્યા બાદ નીરવ મોદી ભાગેડુ આર્થિક દોષી જાહેર
Live TV
-
PNB કૌભાંડ મામલે મુંબઈની કોર્ટે નીરવ મોદીનો ભાગેડુ આર્થિક દોષી જાહેર કરવામાં આવ્યો છે. સંપતિને જપ્ત કરવાનો આદેશ બાદમાં જારી કરવામાં આવશે.
પ્રવર્તન નિદેશાલયની અપીલ પર એક વિશેષ કોર્ટે પંજાબ નેશનલ બેંક પાસેથી બે અરબ અમેરિકી ડૉલરની છેતરપિંડી કરવા મામલે હીરાના વ્યવસાયમાં નીરવ મોદીને આર્થિક ભાગેડુ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
નીરવ મોદી ઉદ્યોગપતિ વિજય માલ્યા પછી બીજો એવો ઉદ્યોગપતિ છે, જેને ભાગેડુ આર્થિક દોષી જાહેર કરવામાં આવ્યો છે. આ અધિનિયમ ગયા વર્ષે ઑગસ્ટમાં લાગુ કરાયો હતો. નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી પીએનબી કૌભાંડ મામલાના મુખ્ય આરોપી છે. નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પ્રત્યાર્પણ હજુ સુધી લંબિત છે.