સુરતના માર્ગ પર લાગેલું આ હોર્ડિંગ્સ અમિતાભ બચ્ચનના દિલને સ્પર્શી ગયું
Live TV
-
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં લાગેલા એક હોર્ડિંગ્સ પરના સુવિચારો વાંચી હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચન પણ તેની ઉપર પ્રતિક્રિયા કરવાથી પોતાને રોકી શક્યા નહોતા.
હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા અમિતાભ બચ્ચન દ્વારા સુરતના આ હોર્ડિંગ પર લાગેલા સુવિચારની પ્રશંસા કરતા દેશભરના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહેલા દેશહિતના કાર્ય માટે બિરદાવવામાં આવ્યા હતા.
'શુ તમે જાણો છો મંદિરો શા માટે બંધ છે ? કારણ કે બધા જ ભગવાનો સફેદ કોટ પહેરીને હોસ્પિટલમાં છે' .કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દેશભરમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફ દ્વારા ખડેપગે આપવામાં આવી રહેલ સેવાને બિરદાવવા જીટો નામની સંસ્થાએ સુરત શહેરના માર્ગ પર એક હોર્ડિગ્સ લગાડવામાં આવ્યું હતું, જેના પર આ પ્રકારનો સંદેશ લખવામાં આવ્યો હતો.
આ સંદેશ ન માત્ર સુરતની પ્રજાને બલ્કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના દિલને પણ સ્પર્શી ગયું હતું. તેમણે પોતાના ટ્વિટમાં ડૉક્ટરોને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન તેમના પર કૃપા રાખે.