અમરેલી ખાતે NSUIના યુવાનો દ્વારા રક્તદાન અને રસીકરણ કેમ્પનું આયોજન
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂ થઈ છે. રસી લીધા બાદ 2 માસ સુધી રક્તદાન કરવું શક્ય નથી. આ સમયગાળા દરમિયાન રક્તની અછત ન સર્જાય તેવા હેતુથી અમરેલી ખાતે NSUIના યુવાનો દ્વારા રક્તદાન અને રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે રવિભાઇ ધાખડા અને સમીર કનોજીયા સહિત અન્ય લોકોએ જહેમત ઉઠાવી હતી.
