આણંદ ખાતે લોકસભા ચૂંટણીમાં વધુ મતદાનની જાગૃતિ માટે 1000 દીવા પ્રગટાવી સંદેશ અપાયો
Live TV
-
લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ''આણંદ કરશે મતદાન" નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા.