યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી 5 દિવસ સુધી રોપ-વે રહેશે બંધ
Live TV
-
યાત્રાધામ અંબાજીના ગબ્બર પર જવા માટે રોપ-વે 5 દિવસ સુધી એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી સમારકામ માટે બંધ રહેશે. રોપ-વેનું વર્ષમાં 2 વાર સમારકામ કરવામાં આવે છે. તે અનુસાર રોપ-વે 14 જાન્યુઆરી થી પ્રવાસીઓની સુવિધા માટે કાર્યરત થઇ જશે. જોકે, યાત્રીકો પગપાળા જઇને માતાજીના દર્શન કરી શકશે.. ચાલતા જવા માટે ગબ્બરના 999 પગથીયા છે. જ્યારે ઉતરવાના 765 પગથીયા છે. રોપ-વેના સમારકામ દરમિયાન પણ ગબ્બરની અખંડ જ્યોત સહિત તમામ દર્શન ભક્તો માટે ચાલુ રહેશે.
