રાજ્યમાં આંશિક લોકડાઉન યથાવત, વેપારીઓ સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે
Live TV
-
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં ચાલી રહેલા આંશિક લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. મહત્વનું છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18 થી 20મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
