સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણવા આવશે
Live TV
-
સોમનાથમાં આવેલી સંસ્કૃત યુનિવર્સિટીનો આઇ.સી.સી.આર.માં સામેલ કરાતા હવેથી વિદેશી વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણવા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આવશે. ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્સની યાદીમાં સંસ્કૃત યુનિવર્સિટીનો કેન્દ્ર સરકારે સમાવેશ કર્યો છે. જેનાથી 9 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે. જેમાં સંસ્કૃતિમાં અભ્યાસ કરવા માંગતા 3 વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવી છે.
આ ત્રણ વિદ્યાર્થીઓ ઇરાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નિવાસી છે.આવનારા દિવસોમાં વિદેશના વિદ્યાર્થીઓની ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર તરફ આકર્ષાઈને સોમનાથ યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે આવશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.
