મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત મળશે પાંચ લાખ સુધીની મફત સારવાર
Live TV
-
મા અને મા વાત્સલ્ય યોજનાને આયુષ્યમાન યોજના સાથે જોડવાનો ગુજરાત સરકારનો નિર્ણય
મા અને મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે..ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગુજરાતના મા કાર્ડ ધારકોને આપવામાં આવશે..મા અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવાયા છે.આરોગ્ય મંત્રી નીતિન પટેલે છેલ્લા બજેટમાં આ અંગેની જાહેરાત પણ કરી હતી.1 માર્ચ 2019થી આ સુવિધા અમલમાં મૂકી દેવામાં આવી છે..જેથી હવે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગ, સ્ત્રીરોગ, કિડની , કેન્સર તથા ઘૂંટણ-થાપાના રિપ્લેસમેન્ટની સારવાર લઈ શકાશે..ગુજરાતની કુલ 3110 સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આ સારવાર ઉપલબ્ધ છે..