રાજ્યમાં સિઝનલ ફ્લૂના કેસ વધ્યા
Live TV
-
ભાવનગરમાં એક અને બોટાદમાં એકનું સિઝનલ ફ્લૂથી મોત
રાજ્યમાં સિઝનલ ફ્લુના ભરડામાં દિનપ્રતિદિન વધુને વધુ લોકો આવી રહ્યાં છે.સરકારી હોસ્પિટલમાં સિઝનલ ફ્લુની સારવાર માટે સ્પેશ્યલ વોર્ડ પણતૈયાર કરાયાં છેજ્યાં સિઝનલ ફ્લુના દર્દિઓની સારવાર ચાલી રહી છે. ત્યારે સિઝનલ ફુલને કારણે ભાવનગરમાં એક અને બોટાદમાં બે મૃત્યુ થયાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે.રાજ્યમાં કુલ 70 કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25 અને વડોદરા તેમજ સાબરકાંઠામાં 6-6 કેસ નોંધાયા હતાં.આ ઉપરાંત રાજકોટ અને ગાંધીનગર ખાતે પણ 4-4 કેસ નોંધાયા છે. જાન્યુઆરી 2019 સુધીમાં રાજ્યમાં એક હજાર એકસો સિત્યાસી કુલ કેસ નોંધાયા હતાં. જેમાંથી છસો ઇઠ્યોતેર દર્દિઓ સાજા થયા હતાં જ્યારે ચારસો પંચાવન દર્દિઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયાં હોવાનું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું.