પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખેડૂતો પર લાઠીચાર્જ, 200ની ધરપકડ
Live TV
-
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઘઉંની ખરીદીના સંકટ વચ્ચે ખેડૂતો પર લાઠીચાર્જ, 200ની ધરપકડ
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં પોલીસે સોમવારે વિરોધ કરી રહેલાં ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને ઘઉંની ખરીદીની કટોકટી વચ્ચે લાહોરમાં 200થી વધુ ખેડૂતોની ધરપકડ કરી હતી. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન પછી, ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે કે પ્રાંતની મરિયમ નવાઝ સરકાર ઘઉંની ખરીદી કરી રહી નથી. લોટ મિલો તેમના પાક માટે સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ કરતા ઓછા દર ઓફર કરી રહી છે.
સોમવારે એટલે કે 29 એપ્રિલે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો લાહોરમાં પંજાબ એસેમ્બલી તરફ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમના પર GPO ચોક, મોલ રોડ પર હુમલો કર્યો હતો. પોલીસે લાહોરમાં તેમને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. પકડાયેલા ખેડૂતોમાં ખેડૂત બોર્ડ પંજાબનાં અધ્યક્ષ મિયાં અબ્દ-ઉર-રશીદ પણ સામેલ છે.