કર્ણાટક ખાતે પ્રધાનમંત્રીના હસ્તે 9,200 કરોડ રૂ. ના ખર્ચે વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના પ્રવાસ દરમિયાન તેમણે યાદગીર જિલ્લામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 9 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પરિયોજના સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ રાયપુર લેફ્ટ બેંક કેનાલ- વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. તો, આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, કર્ણાટકના વિકાસ માટે જે રીતે ઝડપથી કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે, અમારી સરકારે યાદગીર સહિત દેશના આવા 100થી વધુ જિલ્લાઓમાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કર્યો છે. તો, બીજી તરફ, આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ હાજર રહ્યા હતા.
