કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શહેરી આયોજન અંગેની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની વાત કરી
Live TV
-
શહેરો માટે યોજના બનાવતી વખતે નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, શહેરો માટે યોજના બનાવતી વખતે નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. માસ્ટર પ્લાન પહેલા માત્ર આ અંગે લોકોના અભિપ્રાય લેવા પૂરતા નથી અને શહેરો માટે યોજના બનાવતી વખતે આ પ્રક્રિયા પર સતત કામ કરવું પડશે. હરદીપ પુરીએ આજે નવી દિલ્હીમાં શહેરી આયોજન અંગેની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે આ વાત કહી હતી.
હરદીપ સિંહ પુરીએ પરંપરાગત સીમાઓથી આગળ આયોજન કરવા અને નિયમનની જગ્યાએ પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે શહેરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની પણ વાત કરી હતી, કારણ કે શહેરો કેન્દ્રીય અનુદાન પર ખૂબ જ નિર્ભર છે, અને આમાં ફેરફાર કરવાની જરૂર છે.
આ પ્રસંગે વક્તવ્ય આપતા આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે લોકોને સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત અને સ્માર્ટ શહેરોના વિકાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી જેથી કરીને આગામી 25 વર્ષમાં દેશ વિકસિત અને આત્મનિર્ભર બને.
