કેન્દ્ર સરકારે મનરેગા કામદારોના વેતન દરમાં 3થી 10 ટકાનો કર્યો વધારો
Live TV
-
નવા વેતન દર :
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-2025 માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા વેતન દરો જાહેર કર્યા છે. જેમાં 3થી 10 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતમાં હવે મનરેગા હેઠળ કામ કરતા કામદારોને 256 રૂપિયા બદલે હવે 280 રૂપિયા દૈનિક વેતન આપવામાં આવશે, મનરેગાના નવા વેતન દરો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે.
વર્ષ 2005થી શરૂ થયેલી મનરેગા સ્કીમમાં સમગ્ર વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારની ખાતરી આપવામાં આવે છે. ગોવામાં વર્તમાન વેતન દર પર મહત્તમ 10.56% નો વધારો તેમજ ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછો 3.04% નો વધારો કરવામાં આવ્યો છે.