ત્રિપુરામાં રથમાં આગ લાગતા 6ના ઘટનાસ્થળે મોત, 15ની હાલત ગંભીર
Live TV
-
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાથી એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ભગવાન જગન્નાથની ઉલ્ટા રથયાત્રા ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે બની હતી. શોભાયાત્રા દરમિયાન 'રથ' અકસ્માતે 133kv ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો અને આગ લાગી હતી. ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર 'રથ' ખેંચી રહ્યા હતા. આ રથ લોખંડનો બનેલો હતો.
