નિસર્ગ વાવાઝોડાને પગલે PM નરેન્દ્ર મોદીએ CM વિજયભાઈ રૂપાણી સાથે કરી ફોન પર વાત
Live TV
-
સંભવિત વાવાઝોડા નિસર્ગ ની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થિતિનો તાગ મેળવ્યો છે..પ્રધાનમંત્રીએ મંગળવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગની આફત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓથી સંતોષ વ્યક્ત કરીને આ સંભવિત વાવાઝોડા નિસર્ગ ની સ્થિ તિને પહોંચી વળવા ગુજરાત ને કેન્દ્ર સરકાર ની તમામ મદદની ખાતરી આપી હતી
