પ્રધાનમંત્રી મોદીએ ભારતના ભાગોમાં અતિશય વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના જુદા જુદા ભાગોમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમણે આ અંગે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે કરેલી એક ટ્વિટમાં જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે રાહત અને બચાવની ખાતરી કરી રહી છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે વાતચીત કરી હતી અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમણે પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો સાથે પણ વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.
