Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદઘાટન કર્યું 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સની મદદથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદઘાટન કર્યું. મૈત્રીસેતુ પુલ ફેની નદી પર તૈયાર થયો છે. આ નદી ત્રિપુરામાં ભારત અને બાંગ્લાદેશની સરહદે વહે છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વધી રહેલા દ્વિપક્ષીય અને  મૈત્રીપુર્ણ સંબંધોનું પ્રતિક છે. 133 કરોડ રૂપિયાને ખર્ચે આ પુલ નિર્માણ થયું છે. 1.9 કિ.મી.નો પુલ ભારતના સાબરૂમને બાંગ્લાદેશના રામ ગઢ સાથે જોડે છે. પુલ પર ટ્રાફિક શરૂ થતા વેપાર પ્રવૃત્તિને વેગ મળશે. આ પુલના ઉદઘાટન સાથે જ ત્રિપુરા ગેટ-વે ઓફ નોર્થ- ઇસ્ટ બની રહેશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ત્રિપુરાની અનેક માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું. સાબરૂમ ખાતે એકીકૃત તપાસ ચોકી ઉભી કરવા આધારશિલા પણ મુકયું. પ્રધાનમંત્રી રાજ્ય સરકાર દ્વારા વિકસિત રાજમાર્ગો અને જિલ્લા સડકોનું ઉદઘાટન પણ કર્યું. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 40 હજાર 978 આવાસોનું ઉદઘાટન પણ કર્યું. પ્રધાનમંત્રી જૂના મોટર સ્ટેન્ડ ખાતે મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને વાણિજય સંકુલની આધારશિલા પણ મુકયું. રૂપિયા 200 કરોડને ખર્ચે આ સંકુલ ઉભુ થશે. પ્રધાનમંત્રી અગરતલા સ્માર્ટ સિટી યોજના હેઠળ નિર્મિત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન પણ કર્યું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply