ભારતને સૌથી શ્રેષ્ઠ રોકાણનું ક્ષેત્ર બનાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરમાં નિર્યાત, વિદેશી રોકાણ, ઓટોમોબાઈલ ક્ષેત્રના પુનરોદ્ધાર તેમજ ડેટા સંરક્ષણ અને અધિકારીઓ મામલે વ્યાપક વાતચીત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક કહ્યું કે, ભારતને સૌથી શ્રેષ્ઠ રોકાણનું ક્ષેત્ર બનાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરમાં નિર્યાત, વિદેશી રોકાણ, ઓટોમોબાઈલ ક્ષેત્રના પુનરોદ્ધાર તેમજ ડેટા સંરક્ષણ અને અધિકારીઓ મામલે વ્યાપક વાતચીત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક કહ્યું કે, ભારતને સૌથી શ્રેષ્ઠ રોકાણનું ક્ષેત્ર બનાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબુદ કરવાથી પ્રદેશની જનતાની સાથે દેશને પણ ફાયદો થવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે. ઉદ્યમીઓને ઉચ્ચ ઉત્પાદકતાનો ફાયદો મળશે સાથે જ સરકારના આર્થિક એજન્ડાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ સરકારના ઈમાનદાર અને કાયદાનું પાલન કરનારા વ્યવસાયીઓને દરેક સંભવ સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પાંચ વર્ષના દ્રષ્ટીકોણ સાથે સો લાખ કરોડના રોકાણને પૂર્ણ કરવાનાં લક્ષ્યની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.