સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પ્રસ્તાવિત કરાશે
Live TV
-
વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી સતત થઈ રહી છે પ્રભાવિત
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પ્રસ્તાવિત છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી વિભિન્ન પત્રોને ગૃહના ટેબલ પર મૂકશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહોની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પડી રહ્યો છે. ગઈકાલે પણ ગૃહોની કાર્યવાહી ચાલી શકી નહીં. વિપક્ષ તરફથી રાજ્યસભામાં 10 નોટીસ આપવામાં આવી હતી અને વિપક્ષ અદાણી વિશે ચર્ચા કરવા માંગતું હતું. પરંતુ સભાપતિ જગદીપ ધનખડે નિયમોનો હવાલો આપીને તેઓની માંગને નામંજૂર કરી દીધી હતી. સંસદ સત્ર દરમ્યાન થનાર ભાજપાની સંસદીય દળની આજે બેઠક થશે. જેમાં બજેટ સહિત અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
