સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને WHOના કાર્યકારી બૉર્ડના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ પદે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પોતાનો પદભાર સંભાળી લીધો છે. WHOની એક્ઝિક્યૂટીવ બોડીનાં ચેરમેન પદે ડોક્ટર હર્ષવર્ધને આજથી પોતાનો કાર્યભાર શરૂ કરી દીધો છે. ડોક્ટર હર્ષવર્ધને જાપાનના ડો.હિરોકી નાકાતાનીનું સ્થાન સંભાળ્યું છે. મહત્વપૂર્ણ છે કે, ભારતમાંથી ડોક્ટર હર્ષવર્ધનની WHO કાર્યકારી બોર્ડમાં પસંદગી કરવાના પ્રસ્તાવ મંગળવારે 194 દેશના સભ્યો ધરાવતી વિશ્વ આરોગ્ય સભાએ હસ્તાક્ષર કર્યા હતાં.
