PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રતિષ્ઠીત રાયસિના ડાયલોગના ઉદ્ઘાટન સત્રમાં લીધો ભાગ
Live TV
-
ત્રણ દિવસના સત્રમાં સાત દેશોના બે રાષ્ટ્ર અધ્યક્ષો સહિત વિશ્વના પ્રમુખ નેતાઓ લઈ રહ્યા છે ભાગ
નવી દિલ્હીમાં , રાયસિના ડાયલોગનો આરંભ થઇ ચૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાયસિના ડાયલોગનું ઉદ્દઘાટન કર્યું હતું. રાયસિના ડાયલોગ-2020માં , વિશ્વભરના 700 પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. આફ્રિકાના 80 દેશો સહિત , કુલ 100 દેશો , તેમાં ભાગ લઇ રહ્યા છે. 12 જેટલા દેશોના વિદેશમંત્રી પણ , બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી પણ આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે , મંત્રણા પણ કરવાના છે.
પાંચ વર્ષના ટૂંકા ગાળામાં, રાયસિના સંવાદે વિશ્વના શ્રેષ્ઠ વ્યૂહાત્મક વિચારકોને જોડી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંવાદમાં સુમેળ અને સહયોગથી ભારતની ઇરાદાપૂર્વકની નૈતિકતા, તેમજ તેની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા અને સંમિશ્રિત શક્તિનું પ્રતિનિધિત્વ થાય છે.