ડાંગ જીલ્લાની 66 શાળાના 350 શિક્ષક-આચાર્ય માટે પ્રથમ વખત ઐતિહાસિક ચિંતન શિબિરનું આયોજન
Live TV
-
સાપુતારા સાંદિપની માધ્યમિક શાળા ખાતે ડાંગ જીલ્લાની 66 શાળાના 350 શિક્ષક-આચાર્ય માટે પ્રથમ વખત ઐતિહાસિક ચિંતન શિબિરનું જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવભાઇએ શિક્ષકો કેવી રીતે જ્યોતિર્ધર બની બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી શકે તે જણાવ્યું હતું. તેમજ જીવન જીવવાનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વિષયમાં 90થી 100 ટકા લાવનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડાંગ જીલ્લામાં ગાંધીજીના દસ હજાર પુસ્તક ભેટ આપનાર મૈત્રી ટ્રસ્ટના પરિમલ દેસાઈ પણ હાજર રહ્યા હતા.