યાત્રાધામ ડાકોરના રણછોડરાયનું ફાગણ માસની પુનમે અનેરૂ મહત્વ
Live TV
-
ખેડા જિલ્લાનું યાત્રાધામ ડાકોરના રણછોડરાયનું ફાગણ માસની પુનમે અનેરૂ મહત્વ છે. પુનમના દિવસે લગભગ 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા દર્શને જાય છે. ખેડા જિલ્લાની સેવાભાવી સંસ્થા યુવા સંગઠનો સેવા માટે તંબુ અને રાવટી ઉભી કરે છે.
પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા પૌષ્ટીક આહાર અને લીંબુ પાણીની વ્યવસ્થા કરી છે. જિલ્લા પોલીસ અને જિલ્લા વહિવટીતંત્રએ શ્રદ્ધાળુઓ માટે શૌચાલય સ્વચ્છતા ટ્રાફિક આરોગ્ય સહિતની વ્યવસ્થા કરી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 19થી 21 માર્ચ સુધી દર્શનના સમયમાં વધારો કર્યો છે.
એકાદશીના દિવસે રણછોડ રાયની ગજરાજ પર સવારી નીકળી હતી જે ડાકોરના માર્ગે ફરી હતી જેના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.