અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24, 29 માર્ચ અને 4 એપ્રિલના રોજ IPLની મેચ રમાશે
Live TV
-
ટ્રાફિક નિવારવા માટે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો જતો-આવતો માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે
દેશમાં ક્રિકેટના મહાકુંભ IPLની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 24 માર્ચ, 29 માર્ચ અને 4 એપ્રિલના રોજ IPLની મેચ રમાવાની છે. જે અંગે અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવમાં આવ્યું છે. જે અનુસાર અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિવારવા માટે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો જતો-આવતો માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. તો બીજી તરફ મેચ જોવા આવનાર ક્રિકેટ રસિકો માટે મેટ્રો ટ્રેન સેવા 24 થી 31 માર્ચ અને 4થી એપ્રિલના રોજ સવારે 6.20થી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉપરાંત આ દિવસો દરમિયાન સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ રૂપિયા 50 હશે. જેનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના કોઈપણ ઓપરેશનલ મેટ્રો સ્ટેશનો સુધી બંને લાઈન પર થઈ શકશે.