પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20 શિખરના બીજા સત્રમાં ભાગ લેશે| Mid Day News |31-10-2021
Live TV
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20 શિખરના બીજા સત્રમાં ભાગ લેશે| Mid Day News |31-10-2021
31-10-2021 | 1:31 pm
1--- રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને વિડીયો સંદેશ... કહ્યું, વલ્લભભાઈ પટેલે પોતાના જીવનની દરેક ક્ષણ દેશને કરી સમર્પિત.. હંમેશા રાષ્ટ્ર હિતને સર્વોપરી રાખનારા સરદાર પટેલ દેશને બનાવવા માંગતા હતા મજબુત, સમાવેશી, સંવેદનશીલ અને વિકસીત....
2--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સૌના પ્રયાસ થકી જ કોરોના સામેની લડાઈમાં જોવા મળ્યું અસરકારક પરિણામ.. તો ખેડૂતો પણ નવો પાક ઉગાવીને આત્મનિર્ભર ભારતમાં આપી શકે છે યોગદાન... સ્વચ્છતા જેવો વિષય પણ દેશની બની શકે છે તાકત..
3--- દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી... રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત સમગ્ર દેશે લોખંડી પુરૂષને અર્પી પુષ્પાંજલિ.... તો ગૃહમંત્રી અમિત શાહે કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન.. કહ્યું, સરદાર પટેલની વિરાસતને હંમેશા કરાશે યાદ....
4--- અગાઉની સરકારોમાં સરદાર સાહેબની અવગણના થઈ હોવાનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો ખેદ... કહ્યું ન તો તેમને ભારત રત્ન અપાયો ન તો યોગ્ય સન્માન...જ્યારે ભાજપ સરકારે સરદારને ભારત રત્નની સાથે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પણ બનાવી...
5--- ગુજરાત વિધાનસભા પરિસર સ્થિત સરરદાર પટેલની પ્રતિમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજનેતાઓએ અર્પી પુષ્પાંજલિ... શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સરદાર સાહેબના ઉચ્ચ આદર્શો અને અતુલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે સદા રહેશે પથપ્રદર્શક..
6--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં જી-20 શિખર સંમેલનના બીજા દિવસના સત્રમાં લેશે ભાગ... તો સત્ર પહેલાં પ્રધાનમંત્રી મોદી સ્પેનના પ્રધાનમંત્રી અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ કરશે મુલાકાત... પ્રધાનમંત્રી મોદી આજે જો બાઈડેન દ્વારા બોલાવેલી સપ્લાઈ ચેન રિઝિલિયન્સ બેઠકમાં પણ લેશે ભાગ..
7---દેશમાં સતત ઘટતો કોરોના કેસનો આંક... ગત છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 12હજાર 830કેસ, તો 14 હજાર 667 દર્દીઓ થયાં સ્વસ્થ... રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ સામે 14 દર્દીઓ થયા સાજા તો 1 દર્દીનું થયું મૃત્યું... રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.75 ટકા થયો..
8---દિવાળીના તહેવારોમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સતર્ક... અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોનું પોતાના વતન જતાં પહેલાં ધન્વંતરી રથ દ્વારા કરાય રહ્યું છે ટેસ્ટિંગ... શ્રમિકો પોતાના ઘરે સંક્રમણ લઈને ન જાય તે માટે રાખી આગવી તકેદારી,...
9----ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ખેલાશે રોમાંચક મુકાબલો... બંને ટીમને જીતની પ્રબળ આશા..સેમીફાઈનલની રેસમાં બની રહેવા માટે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સર્જાશે કરો યા મરોની સ્થિતિ...