રાજ્યના 77 IAS અધિકારીઓની કરાઈ બદલી |Mid Day News|19-06-2021
Live TV
રાજ્યના 77 IAS અધિકારીઓની કરાઈ બદલી |Mid Day News|19-06-2021
19-06-2021 | 12:56 pm
1--- ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇફ્કો દ્વારા કલોલ સ્થિત વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર - લિક્વિડને આપી વર્ચ્યુઅલી લીલીઝંડી... મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોના હિતમાં સરકાર સબસિડીવાળું નેનો ફર્ટિલાઈઝર યુરિયા 10 ટકા ઓછા દરે ઉપલબ્ધ કરાવશે...
2---મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે.... મુખ્યમંત્રીએ ધર્મપત્ની સાથે અંબાજીમાં કર્યા મા અંબાના દર્શન...... રાજ્યમાં સુખ,સમૃદ્ધિની સાથે કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ટળે તેવી કરી પ્રાર્થના.. તો 21મી જૂને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને વિશ્વ યોગ દિવસની કરાશે ઉજવણી.. યોગ દિવસ માટે 21 હજાર ટ્રેનર કરાયા તૈયાર, તો 20 યોગ કોચને અપાશે પ્રમાણપત્ર....
3---- રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 જીલ્લાના 171 તાલુકામાં હળવાથી ભારે વરસાદ... સૌથી વધુ આણંદમાં 7 ઈંચ, ગણદેવી તાલુકામાં 6 ઈંચ અને ખંભાળીયામાં વરસ્યો 5 ઈંચ વરસાદ....દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત... આજે પણ મેઘમહેર યથાવત ...
4--- રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી... શુક્રવારે નોંધાયા નવા 262 કેસ... તો 776 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પહોંચ્યો 97.90 ટકા પર... અમદાવાદમાં 43, સુરતમાં 37, વડોદરામાં 25 , અને રાજકોટમાં નોંધાયા 21 કેસ.. તો રાજ્યમાં સોમવારથી શરૂ થશે વોક-ઈન-વેક્સિનેશન.. તમામ વેક્સિનેશન સેન્ટર પર 18થી 44 વર્ષના લોકોને અપાશે રસી.. રજીસ્ટ્રેશન કરાવનારને અપાશે અગ્રતા..
5---- દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણના મહાઅભિયાનનો આંકડો 27 કરોડ 23 લાખને પાર, .. તો સંક્રમણના દૈનિક કેસોની સંખ્યામાં પણ ઘટાડો.. .. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજાર 753 કેસ.. રિકવરી દર થયો 96.16 ટકા...મહારાષ્ટ્રમાં આજથી શરૂ થયું 30 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ...
6--- જમ્મુ-કાશ્મીરના વિકાસ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી ઉચ્ચસ્તરીય બેઠક... અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ.. રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓ 90 ટકા સુધી પહોંચવા પર કરી પ્રશંસા.. કહ્યું રાજ્યનો વિકાસ કેન્દ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા...
7----ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની જૈફ વયે કોરોનાથી થયું નિધન... પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મિલ્ખાસિંહે ચંડીગઢમાં લીધા અંતિમ શ્વાસ... રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય લોકોએ વ્યક્ત કર્યો શોક...
8--- રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફાર.. 77 IAS અધિકારીઓની કરાઈ બદલી.., કેટલાંક જિલ્લાના કલેક્ટરો અને ડીડીઓની પણ કરવામાં આવી બદલી.. રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેકટર પદે નિમણૂંક જ્યારે મનપાના કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી... તો પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પસંદગી...