1..સુરતના કિમ ચાર રસ્તા નજીક મોડી રાત્રે કાળ બન્યું ડમ્પર-ફુટપાથ પર સુઈ રહેલા લોકો પર ડમ્પર ફરી વળતા 13 શ્રમજીવી લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ-હાલ 7 લોકોની શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર- 2..જગપ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-સોમનાથ ટ્રસ્ટની યોજાયેલી વર્ચ્યૂઅલી બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય-પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન બાદ ખાલી પડ્યું હતું ચેરમેનનું પદ... 3...અમદાવાદ બાદ હવે ગાંધીનગર અને સુરત પણ બનશે મેટ્રો સિટી-અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ-2 અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઈ ખાતમુહૂર્ત-પ્રધાનમંત્રીએ કહ્યું, મેટ્રો રેલની શરૂઆતથી ખુલશે વિકાસનો નવો રોડમેપ... 4...મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહ્યા ઉપસ્થિત-કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ, અમદાવાદ અને સુરતના લોકો માટે છે મેટ્રો રેલ બનશે ઐતિહાસિક-તો મુખ્યમંત્રીએ કહ્યું, વિકાસની અવિરત હરળફાળ સાથે ગુજરાત અન્ય રાજ્યો માટે બન્યુ છે રોલ મોડેલ..... 5..ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે સતત ઘટાડો-ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર 495 નવા કેસ-જ્યારે 700 દર્દીઓ થયા સ્વસ્થ-રાજ્યનો રિકવરી દર થયો 95.88 ટકા-રાત્રી કરફ્યુને કારણે સારુ મળ્યું પરિણામ... 6...દેશમાં કોરોના સામેનો જંગ યથાવત-આરોગ્યની સારી સુવિધાને કારણે કોરોનાના રિકવરી રેટ પહોંચ્યો 96 ટકાને પાર-દેશભરમાં અત્યાર સુધી 3 લાખ 80 હજારથી વધુ લોકોનું થયું રસીકરણ-દેશમાં હાલ માત્ર 2 લાખ 80 હજાર 12 એક્ટિવ કેસ... 7... ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે 10મા રાઉન્ડની બેઠક-સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી કમિટી સૌ પ્રથમ વખત નવી દિલ્લીમાં ખેડૂત નેતાઓ સાથે કરશે મુલાકાત-તો 26 જાન્યુઆરીએ ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું, દિલ્હી પોલીસ પોતે જ નિર્ણય લે કે દિલ્લીમાં કોણ આવશે અને કોણ જશે.... 8..બ્રિસબેન ટેસ્ટમાં 328 રનના ટાર્ગેટ સર કરવા ઉતરેલી ભારતીય ટીમે 83 રને ગુમાવી એક વિકેટ-ભારતને જીતવા માટે હજુ 245 રનની છે જરૂરિયાત-ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલ રમતમાં-અંતિમ ટેસ્ટ મેચનો આજે છે અંતિમ દિવસ....