DCGI approves Phase II/III clinical trial of COVAXIN on 2 to 18 Years| Mid Day News| 13-05-2021
13-05-2021 | 12:17 pm
Share Now 1.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને પુરવઠા અંગે કરી સમીક્ષા... કેન્દ્રએ દવાનું ઉત્પાદન વધારવા માટે ઉત્પાદકોને જરૂરી તમામ મદદ કરવાનો આપ્યો ભરોસો...
2...પીએમ કેયર્સ ફંડમાંથી ઓક્સિકેર સિસ્ટમના દોઢ લાખ યુનિટની ખરીદીને મળી મંજૂરી...DRDO ઉત્પાદિત ઓક્સિકેર ખરીદવા માટે 322 કરોડ 50 લાખનો કરવામાં આવશે ખર્ચ... એક લાખ મેન્યુયલ અને 50 હજાર ઓટોમેટિક ઓક્સિકેર સિસ્ટમની સાથે નોન-રિબ્રિધર માસ્કની પણ કરાશે ખરીદી...
3...દેશભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન...અત્યાર સુધીમાં 17 કરોડ 70 લાખથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી.... ગત 24 કલાકમાં 17 લાખ લોકોનું કરાયું રસીકરણ... 18 થી 44 વર્ષના આશરે 4 લાખ લોકોને અપાયો રસીનો પ્રથમ ડોઝ...
4....કોરોના સામેના જંગમાં ભારતને વિદેશથી મદદ મળવાનું યથાવત...ઇન્ડોનેશિયાએ મોકલ્યા 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર... તો જર્મની, ગ્રીસ અને ફિનલેન્ડે ભારતને મોકલ્યો તબીબી સંશાધન પુરવઠો...
5... રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોના ની સારવાર માટે મા અમૃતમ- વાત્સલ્ય કાર્ડનો કરી શકશે ઉપયોગ.....મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વ નો નિર્ણય.....રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોના ની સારવાર ખર્ચ માં મળશે મોટી રાહત...
6... હવે સ્મશાનગૃહોના કર્મચારીઓને પણ મળશે કોરોના વોરિયર્સ તરીકેના મળવા પાત્ર લાભ.......સ્મશાનગૃહના કોઈપણ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો પરિજનોને અપાશે 25 લાખ રૂપિયાની સહાય....મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીનો નિર્ણય...તમામ લાભ 1 એપ્રિલ 2020 ની અસર થી અપાશે....
7...ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો વધારો..... બુધવારે રાજ્યમાં 11 હજાર 17 કોરોનાના નવા કેસ....જ્યારે 15 હજાર 264 દર્દીઓ થયા સ્વસ્થ.....અમદાવાદમાં 2 હજાર 883 કેસ....સુરતમાં 1 હજાર 45 કેસ...વડોદરામાં 1 હજાર 148 નવા કેસ....રાજ્યમાં બુધવારે 1 લાખ 87 હજાર 724 લોકોનું કરાયું રસીકરણ...
8...કેરીનાં રસિયાઓ માટે સારા સમાચાર....ગીરની કેસર કેરીનું મબલખ પ્રમાણમાં બજારમાં આગમન... પાકેલી કેરીના 10 કિલોનો ભાવ 600થી 800...આગામી એકાદ મહિનામાં ભાવ ઘટવાની વકી...કેરીના ચાહકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ...