દેશમાં ડુંગળીના ભાવ આસમાને રહેતા, સરકાર ચિંતામાં આવી ગઈ હતી. અને ભાવ વધારોને કાબુમાં લેવા આજે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ડુંગળીના નિકાસ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે સરકારે જાહેર પણ કર્યું છે કે, આ અંગે જ્યાં સુધી નવી કોઈ સુચના ન આવે ત્યાં સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ નિર્ણય પછી કેન્દ્ર સરકારને આશા છે કે આસમાને ગયેલા ડુંગળીના ભાવ પર કાબુમાં આવશે. અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીનો પુરવઠો વધશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રતિ કિલો ડુંગળીનું વેચાણ રૂપિયા 60 થી 80ની વચ્ચે થાય છે.