Shardiya Navratri begins today |Samachar @ 11 AM| 17-10-2020
Live TV
Shardiya Navratri begins today |Samachar @ 11 AM| 17-10-2020
17-10-2020 | 10:58 am
1. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે થશે ચકાસણી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી બિહારના સાસારામથી કરશે શંખનાદ. રાજ્યમાં કરશે 12 રેલી.જ્યારે પટનામાં મહાગઠબંધન દળના તમામ સાથી ઘોષણા પત્ર કરશે જાહેર.
2. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે વિશ્વ બેંક વિકાસ સમિતિની 102મી પૂર્ણ બેઠકમાં લીધો ભાગ. કહ્યું ભારતે કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે લીધાં અનેક પગલાં.કોરોનાના સામાજિક અને આર્થિક પ્રભાવને ઓછા કરવા માટે કર્યા ઘણાં પ્રયાસો.
3. દેશમાં કોરોનાના સંક્રમણનો સતત ઘટતો દર - દેશનો રિકવરી રેટ વધીને થયો 87.56 ટકા - જ્યારે મુત્યુ દર ઘટીને થયો 1.52 ટકા - અત્યાર સુધીમાં દેશમાં કુલ 65 લાખથી વધુ દર્દીઓ થયા સાજા - સક્રિય કેસોમાં પણ થઇ રહ્યો છે સતત ઘટાડો.
4. રાજ્યમાં ગત ચોવિસ કલાકમાં એક હજાર 191 પોઝિટિવ કેસ આવ્યા સામે. અમદાવાદમાં ત્રણ સહિત અગિયાર લોકોનું મૃત્યુ. ગઈકાલે પણ પોઝિટિવ કેસની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી. 1279 દર્દીઓ થયા સાજા -
5. મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવરાત્રિની પાઠવી શુભેચ્છા - કહ્યું, કોરોના કાળમાં મા આધ્ય શક્તિની પૂજા કરીએ , અને સામાજિક અંતર સાથે , કોરોને માત આપીએ. રાજ્ય સરકારે આરતીની પરવાનગી માટે લીધો મહત્વનો નિર્ણય. હવે સોસાયટી કે ફ્લેટના પરિસરમાં, આરતીના આયોજન માટે નહી લેવી પડે પોલીસ પરવાનગી.
6.શ્રદ્ધા અને ભક્તિ સાથે આજથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો થયો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા.યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે ઉમટ્યા માઈભક્તો. અયોધ્યામાં આજથી શરૂ થશે રામલીલાનું મંચન.આજથી 25 ઓક્ટબર સુધી દરરોજ સાંજે 7 કલાકે ડીડી નેશનલ અને યુટ્યુબ પર પ્રસ્તુત થશે જીવંત પ્રસારણ.
7. ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ. લીંબડીમાંથી કોંગ્રેસના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી.. જ્યારે ગઢડામાં ભાજપ દ્વારા પ્રચાર. ભાજપે પ્રચાર માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 30 સ્ટાર પ્રચારકોના નામ કર્યા જાહેર. મોરબીમાં અંજલી રૂપાણીએ કર્યો ઘેરઘેર જઇને પ્રચાર.
8.અરવલ્લીના નિવૃત જવાન બન્યા યુવાઓનો સહારો. નિવૃત જવાન ખેમાભાઈ મોરીએ યુવાનોની હિંમત વધારવા શરૂ કર્યો નિ:શુલ્ક તાલીમ કેમ્પ.આ કેમ્પ વેતન નહીં પરંતુ છે વતન માટે. કેમ્પમાં ટ્રેનિંગ લેનારા 2 યુવાઓની થઈ બીએસએફમાં પસંદગી.
9.આજથી પ્રવાસીઓ માટે મુકાયું ખુલ્લું સ્ટેચ્યુ ઓફ યુનિટી. પ્રવાસીઓએ બુક કરાવી પડશે ઓનલાઈન ટિકિટ. દરરોજ 5 સ્લોટમાં 2500 પ્રવાસીઓને અપાશે પ્રવેશ. કોવિડ 19ની ગાઈડલાઈનનું મુલાકાતીઓએ કરવું પડશે સંપૂર્ણપણે પાલન.