પ્રાકૃતિક ખેતી દ્રારા અઢળક આવક મેળવી આત્મનિર્ભર બનેલું સા.કા. જિ.ના લક્ષ્મીપુરાકંપાનું ખેડૂત દંપતિ
Live TV
-
પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતોના પ્રણેતા સુભાષ પાલેકરની પ્રેરણાથી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરાકંપાના ખેડૂત દંપતિએ ખેતી કરવાની સમગ્ર પ્રક્રિયા બદલીને હવે પ્રાકૃતિક ખેતી કરીને અઢળક આવક મેળવીને આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. આ ખેડૂત દંપતિ હવે પ્રાકૃતિક ખેતી દ્વારા બટાકા, મગફળી, ટામેટા, દૂધી, ઘઉ અને મકાઈ જેવા પાકો સંપૂર્ણ રીતે જીવામૃતનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યાં છે. ત્રણે સીઝનની ખેતી ડ્રીપ ઈરીગેશન પધ્ધતિથી કરાય છે જેથી ઓછા પાણીથી વધુ પાક લઈ શકાય છે.
